PM મોદી 16 જાન્યુઆરીએ શરૂ કરશે વેક્સીનેશન કેમ્પેન, COWIN એપ પણ કરશે લૉન્ચ
News18 Gujarati Updated: January 13, 2021, 2:16 PM IST
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે કોરોના વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે કોરોના વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત કરશે
નવી દિલ્હીઃ દેશમાં 16 જાન્યુઆરીથી કોરોનાને હરાવવા માટે વેક્સીનેશન કેમ્પેન (Corona Vaccination Campaign) શરૂ થવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 16 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યે વેક્સીનેશન કાર્યક્રમની શરૂઆત કરશે. આ અવસરે પીએમ મોદી વેક્સીનેશન માટે તૈયાર કરવામાં આવેલી કોવિન (COWIN) એપને પણ લૉન્ચ કરશે.
ત્રણ ફેઝમાં થશે વેક્સીનેશન
કોવિડ-19નું વેક્સીનેશન ત્રણ ચરણમાં કરવામાં આવશે. પહેલા ચરણમાં ફ્રન્ટલાઇન વર્કર્સ સામેલ થશે. ત્યારબાદ ઇમરજન્સી વર્કર્સનું વેક્સીનેશન થશે. ત્રીજા ચરણમાં સામાન્ય નાગરિકો જે પહેલાથી જ કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છે તેમનું વેક્સીનેશન કરવામાં આવશે. એક વ્યક્તિના વેક્સીનેશનનો સમય લગભગ 30 મિનિટનો હોઈ શકે છે.
આ પણ વાંચો, કોવિશીલ્ડના 5.6 કરોડ ડોઝ ફેબ્રુઆરીમાં મોકલીશું, પ્રાઇવેટ માર્કેટમાં 1000 રૂપિયા હશે કિંમત- પૂનાવાલા
વેક્સીનેશનની તમામ પ્રોસેસ માટે બની આ એપ
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) તરફથી કોવિડ-19 (Covid-19) સામેની લડત માટે બે વેક્સીનની મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxine) સામેલ છે. વેક્સીનેશનની પૂરી પ્રોસેસની જાણકારી માટે કોવિન એપ લૉન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો, કોરોના વેક્સીનેશન માટે ભારત તૈયાર, જાણો તેની સાથે જોડાયેલા દરેક સવાલના જવાબ
આવી રીતે આપવામાં આવશે વેક્સીનના ડોઝ
કોવિડ-19 વેક્સીનના બે ડોઝ 28 દિવસની અંદર આપવામાં આવશે. બીજો ડોઝ આપવા માટે 14 દિવસ બાદ વેક્સીનને સુરક્ષા પૂરા પાડવાની આશા છે. પ્રશાસિત કરનારી વેક્સીનની પ્રભાવશીલતા ડોઝ મળ્યાના 14 દિવસ બાદ જોવામાં આવશે અને બે ડોઝની વચ્ચે 28 દિવસનો અંતરાળ રાખવો પડશે.
ભારતે કોરોના વાયરસ (Coronavirus)ની વિરુદ્ધ દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે બે કોવિડ-19 વેક્સીન (Covid-19 Vaccines) કોવિશીલ્ડ (Covishield) અને કોવેક્સીન (Covaxin)ને મંજૂરી આપી છે. ઓક્સફર્ડ-એસ્ટ્રાજેનેકા (Oxford-Astrazeneca)ની વેક્સીન કોવિશીલ્ડ નું નિર્માણ દુનિયાની સાથે મોટી વેક્સીન ઉત્પાદક પુણે સ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) દ્વારા કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ કોવેક્સીનને હૈદરાબાદ સ્થિત ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે મળી વિકસિત કરવામાં આવી છે.
સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટની સાથે સોમવારે 1.1 કરોડ ડોઝ માટે અને ભારત બાયોટેકને 55 લાખ ડોઝ પૂરા પાડવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. અધિકારીઓનું અનુમાન છે કે, આગામી 6થી 8 મહિનામાં જોખમ ભરેલી પરિસ્થિતિમાં કામ કરનારા લગભગ 30 કરોડથી વધુ લોકોને વેક્સીન આપવામાં આવશે. 16 જાન્યુઆરીથી શરૂ થનારા વેક્સીનેશન અભિયાનની સાથે બે વેક્સીન વિશે એ બધું જાણો જે આપના માટે જરૂરી છે.
Published by:
Mrunal Bhojak
First published:
January 13, 2021, 2:01 PM IST