

અમદાવાદ : રાજ્યમાં (Gujarat)છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના (Coronavirus)નવા 3575 કેસ નોંધાયા છે. જેની સામે 2217 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 22 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4620 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.90 ટકા છે. અત્યાર સુધીમાં 71,86,613 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 8,74,677 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,75,660 વ્યક્તિઓનું રસીકરણ થયું છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં નવા કોરોના વાયરસ કેસ અમદાવાદમાં 823, સુરતમાં 819, વડોદરામાં 457, રાજકોટમાં 490, જામનગરમાં 175, પાટણમાં 111, ભાવનગરમાં 90, ગાંધીનગરમાં 79, મહેસાણામાં 66, કચ્છમાં 38, જૂનાગઢમાં 43, મહીસાગરમાં 37, પંચમહાલમાં 33, ખેડામાં 32, મોરબીમાં 31, દાહોદમાં 29, બનાસકાંઠામાં 26, ભરૂચમાં 22 સહિત કુલ 3575 કેસ નોંધાયા છે. (પ્રતિકાત્મક તસવીર)


રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના કારણે 22 દર્દીના મોત થયા છે. સુરતમાં 10, અમદાવાદમાં 6 જ્યારે વડોદરા, બનાસકાંઠા, ભાવનગર, મહીસાગર, મહેસાણા અને પંચમહાલમાં 1-1 દર્દીઓના મોત થયા છે. બીજી તરફ અમદાવાદમાં 452, સુરતમાં 755, વડોદરામાં 218, રાજકોટમાં 213, જામનગરમાં 84, મહીસાગરમાં 77, પંચમહાલ, ભાવનગરમાં 43, ગાંધીનગરમાં 40-40 સહિત કુલ 2217 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે. (પ્રતિકાત્મક તસવીર)