

અમદાવાદ : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 1477 નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ અમદાવાદની છે. અમદાવાદમાં સતત 300 ઉપર કેસ આવી રહ્યા છે ત્યારે આજે શહેરમાં 311 અને જિલ્લામાં 21 કેસ નોંધાયા છે. રાજ્યમાં વધુ 15 દર્દીનાં નિધન થતા કોરોનાની કાતિલ રફતાર જોવા મળી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કોવિડના કારણે કુલ 2,11,257 દર્દીઓ સંક્રમિત થઈ ચુક્યા છે. આ સાથે જ અમદાવાદમાં કુલ કેસનો આંકડો 50000ને પાર થઈ ગયો છે. (ફાઇલ તસવીર)


દરમિયાન છેલ્લા 24 કલાકમાં અમદાવાદ જિલ્લામાં 321, સુરત જિલ્લામાં 264, વડોદરા જિલ્લામાં 181, રાજકોટ જિલ્લામાં 160, મહેસાણા જિલ્લામાં 67, ખેડામાં 48, ગાંધીનગરમાં 64, જામનગરમાં 36, બનાસકાંઠામાં 29, અમરેલીમાં 28, કચ્છમાં 23, મહીસાગરમાં 21, મોરબીમાં 21, પંચમહાલમાં 21, સાબરકાંઠામાં 19, દાહોદમાં 18 કેસ નોંધાયા છે.


જ્યારે 24 કલાકમાં આણંદમાં 16, જૂનાગઢમાં 22, ભાવનગરમાં 19, પાટણમાં 18, ભરૂચમાં 13, સુરેન્દ્રનગરમાં 12, નર્મદામાં 11, અરવલ્લીમાં 7, ગીરસોમનાથમાં 7, છોટાઉદેપુર અને નવસારીમાં 5-5, દેવભૂમિ દ્વારકામાં 4, તાપીમાં 4, બોટાદમાં 2, પોરબંદરમાં 2 અને વલસાડમાં 2 કેસ નોંધાયા છે. આમ કુલ 1477 દર્દીઓ નોંધાયા છે


હાલમાં રાજ્યમાં 14885 દર્દીઓ એક્ટિવ કેસ તરીકે સારવાર મેળવી રહ્યા છે જ્યારે 81 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે આ પૈકીના 14804 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1,92,368 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે જ્યારે કુલ 4004 દર્દીઓનાં મોત સરકારી ચોપેડ નોંધાઈ ચુક્યા છે.