weird tradition: બ્રાહ્મણોના એઠા ખોરાક પર સૂઈ જાય છે નીચલી જાતિના લોકો! ભારતની 500 વર્ષ જૂની છે આ પરંપરા
News18 Gujarati Updated: May 29, 2022, 12:50 AM IST
આ પ્રથા 500 વર્ષથી ચાલી આવે છે.
માડે-માડે સ્ન્નાન (Made Made Snana) કર્ણાટક (Karnataka)માં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. પરંતુ તેની સાથે જોડાયેલ એક રિવાજ ખૂબ જ વિચિત્ર (weird tradition) છે.
ભારત વિવિધતાનો દેશ છે. અહીં ઘણા ધર્મો, જાતિઓ, સમુદાયો વસે છે, જેમની પોતાની માન્યતાઓ, પ્રથા (Ritual)ઓ છે અને તેઓ વર્ષોથી તેનું પાલન કરે છે. લગભગ દરેક રાજ્યના લોકો અમુક તહેવારો (Festivals) પોતાની રીતે ઉજવે છે અને અન્ય લોકોને આ માન્યતાઓ ક્યારેક વિચિત્ર (weird tradition) લાગી શકે છે. આવી જ એક માન્યતા દક્ષિણ ભારતના કર્ણાટક (Karnataka)માં મનાવવામાં આવે છે, જેમાં લોકો અજીબોગરીબ વિધિથી બચેલા ખોરાકને પાથરીને સૂઈ જાય છે.
માડે-માડે સ્ન્નાન કર્ણાટકમાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે પરંતુ તેની સાથે જોડાયેલ એક રિવાજ ખૂબ જ વિચિત્ર છે. આ રિવાજ સમગ્ર રાજ્યમાં નહીં પરંતુ ખાસ કરીને દક્ષિણ કન્નડ જિલ્લાઓ અને રાજ્યના ઉડુપી જિલ્લાના મંદિરોમાં ઉજવવાનો રિવાજ છે. ઘણી વખત લોકોએ આ પ્રથા સામે વાંધો ઉઠાવ્યો છે અને ઘણી વખત તેની ટીકા પણ થઈ છે. લોકો કહે છે કે આ પ્રથા જાતિવાદ ફેલાવે (tradition spread casteism) છે અને નીચલી જાતિના લોકો પર જુલમ કરે છે.
તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છેતહેવારની ઉજવણી કરવા માટે લોકો કુક્કે સુબ્રમણ્ય મંદિરમાં ભેગા થાય છે. આ મંદિરમાં તહેવારો ઉજવવા આવતા લોકો પોતાને ભાગ્યશાળી માને છે. મંદિરમાં એક ખાસ પ્રકારની વાનગી બનાવવામાં આવે છે, જેની ભક્તો રાહ જુએ છે. ભોજન તૈયાર થયા પછી, તહેવાર માટે મંદિરમાં આવતા બ્રાહ્મણોને પહેલા કેળાના પાન પર ભોજન આપવામાં આવે છે.
આ પણ વાંચો: પહેલા પોતાની પુત્રીને ઉછેરી કરે છે મોટી, યુવાન થતાં પિતા જ બને છે પતિ
તેઓ તેમાંથી થોડો ખોરાક છોડી દે છે. આ પછી, નીચલી જાતિના લોકો જમીન પર રાખવામાં આવેલા કેળાના પાંદડા પર પડેલા બચેલા ખોરાક પર ગોળાકાર ગતિમાં આગળ વધે છે. એક પછી એક નીચલી જાતિના ભક્તો આ ધાર્મિક વિધિ કરે છે અને પછી શરીરને સાફ કરવા માટે કુમારધારા નદીમાં ડૂબકી લગાવે છે.
આ પણ વાંચો: લગ્નના 3 દિવસ સુધી વર-કન્યા નથી જઈ શકતા શૌચાલય! જાણો વિચિત્ર પરંપરા
આ પ્રથા શા માટે કરવામાં આવે છે?
500 વર્ષ જૂની આ પ્રથાને ઉજવવા આવતા ભક્તો માને છે કે આ રીતે તેઓ દરેક રોગથી મુક્ત થઈ શકે છે. તેમજ બ્રાહ્મણના બચેલા ભોજન પર સૂવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એટલું જ નહીં એવું પણ માનવામાં આવે છે કે બચેલું ખાવા પર સૂવાથી પાછલા જન્મના ખરાબ કર્મ પણ ધોવાઈ જાય છે. ઘણા લોકોએ આ પ્રથાને માનવ અધિકારોનું ઉલ્લંઘન પણ ગણાવી છે.
Published by:
Riya Upadhay
First published:
May 29, 2022, 12:50 AM IST